શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર ટ્રસ્ટ દ્વારા નડિયાદ મુકામે ઇનામ વિતરણ કાર્યક્રમનું સફળ પૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આદરણીય મહેમાન તરીકે 🔹 શ્રી હસમુખભાઈ ભીખુભાઈ રાણા (ઉપપ્રમુખ, શ્રી ચરોતર રાણા સમાજ ટ્રસ્ટ,ડાકોર) 🔹 શ્રીમતી સુલોચનાબેન હસમુખભાઈ રાણા (મહિલા ફોરમ ટ્રસ્ટ, ) 🔹 શ્રી નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ રાણા (મંત્રી, વસો રાણા સમાજ) 🔹 શ્રી રાજેશભાઈ પ્રમોદભાઈ રાણા (પ્રમુખ, નડિયાદ રાણા સમાજ) 🔹 શ્રી હર્ષદભાઈ બાબુભાઈ રાણા (મંત્રીશ્રી નડિયાદ રાણા સમાજ) 🔹 શ્રીમતિ હેતલબેન રાજેશભાઈ રાણા નડિયાદ રાણા સમાજ) ( પૂર્વ પ્રમુખ, ચરોતર રાણા સમાજ મહિલા ફોરમ ) 🔹 શ્રીમતી ડૉ.હેતલબેન વૈભવભાઈ રાણા અતિથિ નડિયાદ સહીત સમસ્ત નડિયાદ રાણા સમાજના હોદ્દેદારો ,વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હસમુખભાઈ રાણા દ્વારા સૌને શિક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ચરોતર રાણા સમાજની વિદ્યાર્થી પુરસ્કાર યોજનાઓની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા અને શિક્ષણ પ્રત્યે પ્રેરણા તથા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. શ્રી હર્ષદભાઈ બાબુભાઈ રાણા દ્વારા સૌનો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાજેશભાઈ રાણા અને હેતલબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ ભેગા મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વધુમાં શ્રી ચરોતર રાણા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા અલ્પાહાર પણ દરેક આવેલ વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને કરાવવામાં આવ્યો હતો આવો સમાજના વિકાસ માટે શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કાર્ય સતત આગળ વધારીએ. 🙏