Read Time:47 Second
રાજસ્થાનના પાલીમાં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં જૈન સાધુના મોતના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. જૈન સમાજ દ્વારા આજે અમદાવાદમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જૈન સમાજ દ્વારા વિહાર કરતાં સાધુ-સાધ્વીની સુરક્ષાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે.