તા.13/07/2025 ને રવિવાર શ્રી ભાદરણ રાણા સમાજના શ્રી ચામુંડા યુવક મંડળ ધ્વારા શિક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત ભાદરણમાં અભ્યાસ કરતા રાણા સમાજના બાલવાટિકા અને ધોરણ 1 થી 12 તથા કોલેજ માં અભ્યાસ કરતા તેજસ્વી વિધાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યકમ ભાદરણ ગામના જલારામ મંદિરમાં ખૂબ સુંદર અને સફળ રીતે કરવામાં આવ્યો. આ સુંદર કાર્યકમમાં અતિથિ વિશેષ તરીકે પટેલ નીલમબેન અનંતભાઇ (શ્રી જલારામ મંદિર, ભાદરણ ટ્રસ્ટી) તથા બોરસદથી રાણા રાજેશભાઈ ચીમનભાઈ, રાણા રમેશભાઈ નરહરિભાઈ, રાણા અલ્પેશકુમાર રાજેન્દ્રપ્રસાદ, કલ્પેશભાઈ બી રાણા, તથા શ્રી ચામુંડા યુવક મંડળના મિહિરભાઈ અને મુકેશભાઈ તથા તમામ હોદેદારો હાજર રહ્યા અને આ કાર્યકમનું સ્ટેજ સંચાલન દીપકભાઇ સાધુ સાહેબ ધ્વારા કરવામાં આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી…