श्री ब्राह्मण स्वर्णकार समाज अहमदाबाद। श्री श्री 1008 महामंडलेश्वर ईश्वरी नंद गिरिजी, मेवाड। सम्मान समारोह 23.08.2025.
અમદાવાદ, ઓગસ્ટ ૨૩, ૨૦૨૫: આજ રોજ અમદાવાદના બાપુનગર ખાતે સોની સમાજ દ્વારા મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ ઈશ્વરી નંદ ગીરીજી મહારાજને મહામંડલેશ્વર પદ મળવા બદલ ભવ્ય સન્માન સમારોહ અને ૧૦૦૮ કળશ જલાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ભવ્ય ભજન કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી. સોની સમાજના અગ્રણી કાર્યકર્તાઓ શ્રી કમલેશકુમાર સોની, શ્રી ચંદ્રકાંતભાઈ સોની, શ્રી સતિષભાઈ સોની, અને શ્રી મનોજકુમાર સોની તથા ટીમ ના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ ધાર્મિક વાતાવરણમાં ભાવવિભોર બની કાર્યક્રમની શોભા વધારી હતી.