તા.૨૩-૬-૨૦૨૫ અમદાવાદ વિમાન અકસ્માતમાં દિવગંતોની આત્મ શાંતિ અને ઈજાગ્રસ્તો માટે ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા
ગાયત્રી પરિવાર નારણપુરા તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ દ્વારા આયોજિત અને વૈદિક મંત્રોચ્ચારની આહુતિઓ સાથે ગીત સંગીતમય વાતાવરણમાં શ્રી પ્રવીણભાઈ પટેલ અને મનોજભાઈ ત્રિવેદીએ ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞનું યજ્ઞ કાર્ય સફળતા પૂર્વક “અમદાવાદ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોનું જલદી સ્વાસ્થ્યસંવર્ધન “થાય તેવા સદભાવ સાથે સંભાળ્યું હતું જયારે ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરવા માટે ૩૫ થી વધુ પરિવારજનોએ પોતાના નિવાસ્થાને ગાયત્રી ચાલીસાનું અનુષ્ઠાન કરેલ હતું જેનો પુર્ણાહુતી ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞ તા.23/06/25, સોમવાર બપોરે 3.30 દક્ષાબેન ગીરીશભાઈ પટેલ,દેવપથ ફ્લેટ,નવા વાડજ ખાતે યોજાયો હતો જેમાં સદર પુણ્ય કાર્યમાં સહભાગી થવા ગાયત્રી પરિવારની 50 થી વધુ બહેનોએ ભાગ લીધેલ હતો.અમારો યુગ નિર્માણ સત્ સંકલ્પ પત્ર કાર્ડ ઉપસ્થિત સૌને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.