…તા૧૫-૩-૨૦૨૬ ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ
તા૧૫-૩-૨૦૨૬ રવિવારે સાંજે ૪-૦૦ વાગે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દિપપ્રાગ્ટય,પૂજન,આરતી,પ્રાર્થના,મંત્રોચ્ચાર પૂર્વક ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં સેવાર્થે નિ:શુલ્ક જરૂરમંદ ઓછી આવક ધરાવતા ૩૦૦ કુટુંબ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની આશરે ૧૦ દસ હજારથી વધું કિંમતની અનાજ કીટ વિતરણના કાર્યક્રમ અંતર્ગત ઘંઉ કીલો-૬૦/ચોખા-૩૦/તુવેર દાળ-૧૦/તેલ-૧૫/ખાંડ-૫/ગોળ-૧/ચ્હા-૫૦૦ગ્રામ/બટાટા-૨.૫૦૦/મીઠુ-૨ નું વિતરણ ઈશ્વર ભુવન,નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ-ટ્રસ્ટીશ્રીઓ,સ્ટાફ મિત્રો,દાતાશ્રીઓ,આમંત્રિત મહેમાનો,કાર્યકર્તાશ્રીઓ સર્વ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.વિશેષમાં જણાવવાનું આ સંસ્થા મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ,સોલા સીવીલ હોસ્પિટલ અને તેમાં આવેલ કેન્સર,હાર્ટ,મણીબેન આયુર્વેદિક હોસ્પિટલ ખાતે બપોરના ભોજન-ટીફીન સેવા ૭૦૦ જેટલા દર્દી અને સાથે સેવાર્થે રહેતા સગાને અન્નપૂર્ણારથ દ્વારા પહોંચાડવાનની સેવાકીય પ્રવૃતિ થઈ રહી છે.