તા.૨૮-૫-૨૦૨૫ બુધવાર બપોરે ૩-૦૦ નારણપુરા ખાતે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં નિવાસ કરતા બા-બાપુજી માટે શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન સંગીતમય વાતાવરણમાં સુમધુર વાણીમાં ગીત-ભજન-આરતી દ્વારા કરવામાં આવ્યું. તથા પ્રસાદ તેમજ દરેક બા-બાપુજીને યજમાન લા.હરગોવિંદસિંહ રાજપૂત તરફથી મંત્ર યંત્ર ભેટ સાથે ગાયત્રી પરિવાર નારણપુરા- લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ-જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના સહયોગ સહકારમાં આયોજન કરવામાં આવ્યું.
આ સેવા કાર્યક્રમનું આયોજન
લાયન વિનોદ પટેલ, પબ્લિક રિલેશન ઓફિસર. મુખ્ય મહેમાન લાયન ડિમ્પલ શાહ, ટ્રસ્ટી જીવન સંધ્યા ઘરડાઘર દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ, લાયન્સ ક્લબના ગીરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
