સત્ય નારાયણ કથાનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ કલબ ઓફ જોધપુર હીલ, આવકાર, સંવેદના અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર રામાપીરનો ટેકરો જૂના વાડજની ગોપી ભજન મંડળની બહેનોને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ નિમિત્તે સત્ય નારાયણ કથાનું શ્રવણ- રસપાન ભજન સંગીત સાથે તેમજ ગાયત્રી ચાલીસા પાઠ ગાયત્રી પરિવારના પ્રજ્ઞા પુત્ર પ્રવિણભાઇ પટેલ કરાવશે અને સમૂહમાં સૌ દ્વારા કોરોના નાબૂદીની તેમજ દિવંગત થયેલાઓને સદ્ ગતિ શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાથર્ના કરી શ્રધ્ધાજંલિ અર્પવામાં આવશે.
તા.૬-૯-૨૦૨૧ સોમવાર શ્રાવણ વદ અમાસ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ સ્થળઃ જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર, રામાપીરનો ટેકરો ,જૂના વાડજ, અમદાવાદ 🌹👏