તા.૧૨-૫-૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમાના સવારે ૯-૦૦ ગૃહે ગૃહે ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રીય પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર સશકત બને તે હેતુ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પરિજનોએ પોતાના ગૃહે તથા નવાવાડજ ખાતે કિરણ પાર્ક સામે આવેલ ગાયત્રી હોસ્પિટલ દર્દીઓના હિતાર્થે અને અખબાર નગર સર્કલ નજીક આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સંસથાના મનોદિવ્યાંગ બાળકોના બૌધિક કૌશલ્ય વર્ધન નિમિત્તે ગાયત્રીયજ્ઞનું આયોજન કર્યું હતું.
તા૧૧\૧૨ મે ૨૦૨૫ બુદ્ધ પૂર્ણિમા ગૃહે ગૃહે ગાયત્રીમહાયજ્ઞ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા તા.૧૨-૫-૨૦૨૫ સોમવારે વહેલા સવારથી જ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે અનૂકુળ સમયે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેશ વિદેશમાં એક સાથ એક દિવસે લાખો ઘરોમાં દેવ સંસ્કૃતિના નિર્માતા-યજ્ઞ પિતા ગાયત્રી માતાની કૃપા પ્રાપ્તિ,વિશ્વ શાંતિ,સમર્થ એવં શક્તિશાળી રાષ્ટ્ર હેતુ તથા પરમ વંદનીય માતાજીની જન્મશતાબ્દી એવં અખંડ દિપક શતાબ્દી વર્ષના પાવન અવસર પર”ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ”અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર નારણપુરાના સૌ પરિજનોએ ગાયત્રી મહાયજ્ઞ પોતાના ગૃહે તથા આમંત્રિત અન્ય લોકોના ઘરે,સંસ્થાઓમાં વિવિધ સ્થળોએ વૈદિક ગાયત્રીમંત્ર,મહામૃત્યુંજ્ય મંત્ર અને અન્ય મંત્રોચ્ચાર સાથે ઔષધિ યુક્ત હવન દ્રવ્યની આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરી પર્યાવરણ શુદ્ધિકરણ,ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વના ઉદય હેતુ ગાયત્રી યજ્ઞ કર્યા હતા તેમજ આ સંદર્ભે ૫ કુંડીય ગાયત્રીમહાયજ્ઞ તા.૧૧ મે સવારે ૮-૩૦ વાગે ગોતા ખાતે વિષ્ણુધારા ક્રોસ રોડ ફ્લેટના રહીશો માટે અને તા.૧૨ મે ગાયત્રી પરિવાર નારણપુરાના સૌપરિજનોએ પોતાના ગૃહે ગાયત્રીયજ્ઞ કર્યા બાદ સવારે ૧૦-૦૦ વાગે નવાવાડજ ખાતે અખબાર નગર સર્કલ નજીક સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટના મનોદિવ્યાંગ બાળકો માટે,નવાવાડજ કિરણ પાર્ક સામે ગાયત્રી હોસ્પિટલ,જાયન્ટ્સ મેડિકલ સેન્ટર,ડૉ.બી.ટી.પટેલ દવાખાના દર્દીઓ માટે અને બપોરે ૩-૦૦ વાગે લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગમાં જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના વડીલો માટેના હિતાર્થે સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય અને તેમના જીવનમાં ઉમંગ ઉત્સાહથી પ્રોત્સાહિત થાય કૌશલ્ય વર્ધન વધે તેઓને શુભ આશીર્વાદ સદાય મળતા રહે તેવા શુભ હેતુથી ગાયત્રીમહાયજ્ઞનું આયોજન સૌના ઉમંગ ઉત્સાહ વચ્ચે કર્યું હતું.