તા.૨૬-૧૧-૨૦૨૫ જીવન સંધ્યાશ્રમ નારણપુરા ખાતે સત્યનારાયણ કથા લાયન્સ ક્લબ ફોર્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા
તા. 26 નવેમ્બર2025 બુધવારના રોજ બપોર ૩-૦૦થી૬-૦૦ દરમ્યાન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ નારણપુરા ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદફોર્ટ તથા નારણપુરા ગાયત્રી પરિવાર તરફથી શ્રી ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાનું શ્રવણ રસપાન શ્રીપ્રવીણભાઈ પટેલ અને રંજનબેન પટેલે કરાવ્યું હતું.75 બા અને બાપુજીના બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન્સ કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન હેતલભાઇ શાહના પુત્રી ચાર્મીના બર્થ ડે નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું. અને વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા 150 બા બાપુજીને સાંજનું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન ગીરીશભાઈ પટેલે અને વિનોદભાઈ પટેલ અમને ખૂબ મોટો સાથ સહકાર આપ્યો હતો અને આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તથા LION ડીમ્પલબેન શાહ તરફથી અમને ગાયત્રી પરિવારના પરિવારજનોએ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો હતો જેથી આ કાર્યક્રમને અમે સફળ બનાવી શક્યા શ્રીસત્યનારાયણ ભગવાનની કથા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબ પરિવારમાંથી અનેક લાયન સભ્યોએ હાજરી આપી હતી