Read Time:50 Second
સ્મિત ચાઈલ્ડ એજયુકેશન સંસ્થા, અખબાર નગર સર્કલ પાસે, નવાવાડજ ખાતે મનોદિવ્યાંગ ૩૫ બાળકોને ઉત્તરાયણ પવૅ નિમિતે પતંગો, ફિરકી,ચશ્મા,પિપુડા,તલ, સીંગ મીક્ષ ચીકી મમરાના લાડુની કીટ બનાવી આપવામાં આવી અને
એકાદશી નિમિત્તે ફરાળી વાનગીઓનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો તેમજ ૧૫ વર્ષથી ઉપરના ૨૦ બાળકોને કોરાની રસી સંસ્થાના સંચાલકશ્રી ચંદુભાઈ તથા સ્ટાફ, વાલીઓના પ્રયત્નથી અમ.મ્યુ.કોર્પોરેશન સહયોગ દ્વારા આપવામાં આવી હતી.

