ગાયત્રી પરિવાર નારણપુરા મહિલા મંડળની બહેનો દક્ષાબેન પટેલ, મધુબેન પટેલ, કુમુદબેન પરમારના સહયોગથી પવિત્ર શ્રાવણ માસ અને ગણેશોત્સોવ દરમ્યાનમાં નારણપુરા, નવાવાડજ વિસ્તારમાં ગાયત્રી યજ્ઞ ૧૧૧ થી વધુ ઘરોમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણા – આદેશાનુસાર ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન અંતર્ગત વાતાવરણ શુધ્ધિકરણ, સ્વાસ્થય સંવર્ધન,, પ્રાણીમાત્રનું કલ્યાણ,કોરોના મહામારીનું શમન થાય સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેવી શુભકામના સાથે ગણેશજીનું સ્થાપન ષોડશોપચાર પૂજન વિધિ ગાયત્રી દિપયજ્ઞ દ્વારા રવિ એવન્યુ નવાવાડજ ખાતે પરિપૂર્ણ કર્યા હતા તેમ ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલે જણાવ્યું હતું 🌹👏
મિત્ર મિલન સોસાયટી મીરામ્બિકારોડ નારણપુરા